અછંદસ રચના
Saturday, October 22, 2016
વરતાઈ આવે છે
વ્યક્તી વરતાઈ આવે છે ,
વાતો માં વિનય પરથી.
વ્હાલ વરતાઈ આવે છે,
નયનો નાં અમી પરથી .
ધીરજ વરતાઈ આવે છે,
જીભ નાં અંકુશ પરથી.
દોસ્ત વરતાઈ આવે છે,
વેરી નાં વેર પરથી.
અને
નફરત વરતાઈ આવે છે,
આંખ ની કીકી પરથી.
નીતા કોટેચા "નિત્યા "
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment